તાપી જિલ્લાના તાલુકાઓ:
- વ્યારા
- સોનગઢ
- ઉચ્છલ
- નિઝર
- વાલોદ
- ડોલવણ
- કુકરમુંડા
તાપી જિલ્લાના અગત્યના સ્થળો અને મહત્વની જાણકારી
> તાપી નદી હરણફાળ નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશ કરે છે .
> કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો વ્યારામાં જોવા મળે છે
> જુગતરામ દવેનો આશ્રમ વેડછી ખાતે આવેલો છે.
> આ ઉપરાંત સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય પણ વેડછી ખાતે આવેલ છે . સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલયની સ્થાપના નારાયણ દેસાઈએ કરી હતી અને તેની પ્રેરણા લોકનાયક જયપ્રકાશ નારાયણે આપી હતી .
> લિજ્જત પાપડ બનાવવાનો ઉદ્યોગ વાલોદ ખાતે વિકસેલો છે .
> વાલોદ ઘણી બધી સહકારી પ્રવૃતિઓ માટે જાણીતું છે .
> ગાયકવાડ નો મહેલ વ્યારા ખાતે આવેલો છે
> પીલાજીરાવ ગાયકવાડે બંધાવેલો મહેલ સોનગઢ ખાતે આવેલો છે
તાપી જિલ્લાની નદીઓ : તાપી અને પૂર્ણા
> તાપી નદી ઉપર ઉકાઈ અને કાકરાપાર બહુહેતુક યોજનાઓ આવેલી છે .
