મહીસાગર જિલ્લાના તાલુકા:
- વીરપુર
- ખાનપુર
- સંતરામપુર
- લુણાવાડા
- બાલાસિનોર
- કડાણા
મહીસાગર જિલ્લાની નદીઓ : મહી, પાનમ
મહીસાગર જિલ્લાની મહત્વપૂર્ણ વાતો
> 2013માં ખેડા અને પંચમહાલ જિલ્લામાંથી મહીસાગર જિલ્લાની રચના
> મહીસાગર જિલ્લાના બાલાસિનોર પાસે રૈયાલી ખાતેથી પ્રાગઐતિહાસિક કાળના ડાયનાસૉરના ઈંડા મળેલા છે.
> લુણાવાડા ખાતે આવેલા લુણેશ્વર મહાદેવ મંદિરમાં પાંડવો રહ્યા હતા એવી દંતકથા છે.
> આ ઉપરાંત લુણાવાડામાં કાલકા માતાની ટેકરી પણ આવેલી છે.
> વીરપુર ખાતે ગોકુળનાથ ના પગલાં તેમજ દરગાહ -એ -શરીફ આવેલી છે.
> મહી નદી ઉપર કડાણા અને વણાકબોરી સ્થળે બંધ બંધવામાં આવેલા છે.
> ઈ.સ. 1912માં આદિવાસી સમાજસુધારક ગોવિંદગુરુ તથા તેમના 1200 જેટલા ભીલ અનુયાયીઓની માનગઢ ખાતે અંગ્રેજ લશ્કર તથા સ્થાનિક રજવાડાઓના સંયુક્ત લશ્કર દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ સ્થળે ગોવિંદગુરુ સ્મૃતિવન આવેલું છે.
> લુણાવાડા ખાતે આવેલ ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ જોવા લાયક છે.